India Pakistan War News : ભારત-પાકિસ્તાન વચ્ચે યુદ્ધનો માહોલ જોવા મળ્યો છે. પાકિસ્તાનની નાપાક હરકતોનો ભારત પણ વળતો જવાબ આપી રહ્યો છે. ત્યારે ભારતના સંવેદનશીલ વિસ્તારોમાં સુરક્ષાનો વધારો કર્યો છે. તેમજ ગુજરાતના 7 જેટલા એરપોર્ટને બંધ કરવામાં આવ્યા છે. સરકાર દ્વારા જામનગર, પોરબંદર, કંડલા, ભૂજ, રાજકોટ, કેશોદ અને મુંદ્રા સહિતના એરપોર્ટને બંધ કરી દેવામાં આવ્યા છે. કચ્છનું ભુજ એરપોર્ટ લોકો માટે બંધ કરવામાં આવ્યું છે. સેનાના હવાલે ભુજ એરપોર્ટ કરવામાં આવ્યું છે. 1971 યુદ્ધ વખતે ભુજ એરબેઝ નિશાના પર હતું. જલ દલ અને વાયુ ત્રણેય સીમાઓથી કચ્છ જોડાયેલું છે.

હવાઈ હુમલા દરમિયાન, દુશ્મનના રોકેટ આપણી તરફ આવે છે અને આપણી સંરક્ષણ પ્રણાલીના રોકેટ તે રોકેટોને તોડી પાડવા જાય છે. આ સ્થિતિમાં, જ્યારે પેસેન્જર પ્લેન હવામાં હોય છે, ત્યારે કોઈપણ રોકેટ તેના પર અથડાવી શકે છે અને મુસાફરોના જીવ જોખમમાં મુકાય છે. આ કારણોસર, હવાઈ હુમલાની સ્થિતિમાં, આસપાસના રૂટ પરના તમામ એરપોર્ટ બંધ કરી દેવામાં આવે છે. જોકે, એરપોર્ટ્સને એરમેનને નોટિસ જારી કરવામાં આવી છે. ત્યાં કોઈ હુમલો થયો નથી, પરંતુ સાવચેતી રૂપે આ નિર્ણય લેવામાં આવ્યો છે.
ભારતે યોગ્ય જવાબ આપ્યો
પાકિસ્તાનના નિષ્ફળ હુમલાઓનો ભારતે યોગ્ય જવાબ આપ્યો છે.ત્યારે જમ્મુ કાશ્મીર, રાજસ્થાન સાથે ગુજરાતમાં ડ્રોન હુમલો કર્યો છે. મધરાતે કચ્છ સરહદે પાકિસ્તાનનો ડ્રોનથી હુમલાનો પ્રયાસ કર્યો છે. ભારતીય સેનાએ 3 ડ્રોન તોડીને હુમલો નાકામ કર્યો છે. સરહદી વિસ્તારના ગામોમાં બ્લેઆઉટ કરવામાં આવ્યું છે. કચ્છ, બનાસકાંઠા, પાટણ સહિત 18 જિલ્લામાં હાઈએલર્ટ આપવામાં આવ્યું છે.
સરહદી વિસ્તારોના માછીમારોને પરત બોલાવાયા
India Pakistan War News : માછીમારોની સુરક્ષાને લઈ રાજ્ય સરકારનો નિર્ણય લેવામાં આવ્યો છે. સરહદી વિસ્તારોના માછીમારોને પરત બોલાવાયા છે. આગામી આદેશ સુધી માછીમારી પ્રવૃત્તિ પર પ્રતિબંધ છે. રાજ્યના ધાર્મિક સ્થળોની સુરક્ષામાં પણ વધારો કરાયો છે. સોમનાથ, અંબાજી, દ્વારકાના મંદિરોની સુરક્ષા વધારાઈ છે. રાજ્યની સુરક્ષાને લઈ ગૃહરાજ્યપ્રધાને બેઠક યોજી હતી. સ્ટેટ ઇમરજન્સી સેન્ટરમાં અધિકારીઓ સાથે બેઠક કરી હતી.
ભારતે પાકિસ્તાનના 50થી વધુ ડ્રોન તોડી પાડ્યા
ગઈકાલે રાત્રે, પાકિસ્તાને નિયંત્રણ રેખા અને આંતરરાષ્ટ્રીય સરહદો પર અનેક સ્થળોએ સ્વોર્મ ડ્રોન મોકલ્યા, જેને એન્ટી-ડ્રોન ઓપરેશન દ્વારા નિષ્ફળ બનાવવામાં આવ્યા છે. ઉધમપુર, સાંબા, જમ્મુ, અખનૂર, નાગરોટા અને પઠાણકોટમાં ભારતીય સેનાના હવાઈ સંરક્ષણ એકમોએ મોટા પાયે ડ્રોન વિરોધી કાર્યવાહી હાથ ધરી અને 50 થી વધુ ડ્રોનને તોડી પાડ્યા. આ અથડામણમાં L-70 તોપો, Ju-23 mm, શિલ્કા સિસ્ટમ્સ અને અન્ય અદ્યતન કાઉન્ટર-UAS સાધનોનો વ્યાપક ઉપયોગ કરવામાં આવ્યો હતો. હવાઈ થ્રેટ્સના સામના કરવાના અભિયાનની આનાથી સજાવી લેણતંત્ર ક્ષમતા પરિબળ ઉજાગર થયું.
જમ્મુ-કાશ્મીરમાં ફરી બ્લેકઆઉટ
જમ્મુના સંવેદનશીલ વિસ્તારોમાં ફરીથી બ્લેકઆઉટ લાદવામાં આવ્યો છે. ઘણા સંવેદનશીલ વિસ્તારોમાં સાયરનનો અવાજ ગુંજી રહ્યો છે. પાકિસ્તાન તરફથી ગોળીબાર બાદ જમ્મુ વિસ્તારમાં ફરી એકવાર અંધારપટ છવાઈ ગયો છે. માત્ર જમ્મુ જ નહીં, જમ્મુ વિભાગના રાજૌરી, પૂંછ અને સાંબામાં પણ બ્લેકઆઉટ લાદવામાં આવ્યો છે.
જમ્મુ-કાશ્મીરમાં LoC નજીક વિસ્ફોટોના અવાજ સંભળાયા
ભારત અને પાકિસ્તાન વચ્ચે તણાવ ચાલુ છે. દરમિયાન, મોડી રાત્રે, જમ્મુ અને કાશ્મીરમાં નિયંત્રણ રેખા (LOC) નજીક વિસ્ફોટોના અવાજો સંભળાયા. આખા વિસ્તારમાં અંધારું છે.
ભારતનો પાકિસ્તાનને જડબાતોડ જવાબ
ભારતે PoKના કોટલીમાં મોટો હુમલો કરીને પાકિસ્તાન સામે બદલો લીધો. ભારતે તોપો અને ડ્રોન બંનેથી હુમલો કર્યો છે. આ બદલાની કાર્યવાહીમાં મોટા પાયે નુકસાન થયાની શક્યતા છે.
PoKના મુઝફ્ફરાબાદ શહેરમાં મોટો વિસ્ફોટ
પાકિસ્તાન અધિકૃત કાશ્મીર (POK) ના મુઝફ્ફરાબાદ શહેરમાં એક જોરદાર વિસ્ફોટ થયો છે. જેના કારણે સમગ્ર શહેરમાં વીજળી ગુલ થઈ ગઈ અને અંધારપટ છવાઈ ગયો છે. સ્થાનિક સૂત્રોના જણાવ્યા અનુસાર, વિસ્ફોટ બાદ મુઝફ્ફરાબાદની હોસ્પિટલોમાં કટોકટી જાહેર કરવામાં આવી છે.
ડ્રોન અને તોપથી ભારતનો PoK માં ભારે હુમલો
India Pakistan War News : ભારતે પીઓકેમાં મોટો બદલો લેવાનો પ્રયાસ કર્યો છે. ડ્રોન અને તોપમાંથી ગોળા છોડવામાં આવી રહ્યાં છે. આ ઉપરાંત ડ્રોનનો ઉપયોગ કરીને વળતો હુમલો પણ કરવામાં આવ્યો હતો. ભારતની જવાબી કાર્યવાહીથી પાકિસ્તાનમાં ભારે ભયનો માહોલ ફેલાયો છે.
પાકિસ્તાનના 15 શહેરમાં ભારતનો એકસાથે હલ્લાબોલ
પાકિસ્તાનને ભૂતકાળમાં ક્યારેય પણ ના થઈ એટલી ખુવારીનો વારો આવે તેવી સ્થિતિ ભારતે સર્જી દીધી છે. એક વાર છોડ્યા બાદ ફરી હુમલો કરવાનુ દુસાહસ કરનાર પાકિસ્તાનને 10 પેઢી ના ભૂલે તેવો માર આપવા ભારતે કમ્મર કસી લીધી છે. ભારતે એક સાથે પંદર શહેર પર હલ્લાબોલ કર્યો છે.
સંરક્ષણ મંત્રાલયનું નિવેદન
India Pakistan War News : પાકિસ્તાન દ્વારા ભારત ઉપર કરવામાં આવેલા હુમલા અંગે સંરક્ષણ મંત્રાલયે કહ્યું છે કે, આજે પાકિસ્તાની ડ્રોન અને મિસાઇલોએ જમ્મુ અને કાશ્મીરમાં આંતરરાષ્ટ્રીય સરહદ પર જમ્મુ, પઠાણકોટ અને ઉધમપુરમાં લશ્કરી મથકોને નિશાન બનાવ્યા હતા. SOP મુજબ પાકિસ્તાનના આ તમામ હુમલાઓને નિષ્ફળ બનાવી દેવામાં આવ્યા હતા. પાકિસ્તાનના હુમલાથી કોઈ જાનહાનિ કે નુકસાન થયાના અહેવાલ નથી. ભારત પોતાની સાર્વભૌમત્વની રક્ષા કરવા અને પોતાના લોકોની સુરક્ષા સુનિશ્ચિત કરવા માટે સંપૂર્ણપણે તૈયાર છે.
ગુજરાતના સંવેદનશીલ જિલ્લામાં એલર્ટ
પાકિસ્તાનની સરહદને અડીને આવેલા ગુજરાતમાં અમદાવાદના એરપોર્ટ સહીત પાકિસ્તાન બોર્ડર નજીકના સંવેદનશીલ વિસ્તારોમાં એલર્ટ જાહેર કરાયું છે.
ભારતીય નૌકાદળ આવ્યુ એકશનમાં
India Pakistan War News : પાકિસ્તાને બીજીવાર કરેલા હુમલાને નિષ્ફળ બનાવ્યા બાદ, ભારતે કરેલા વળતા હુમલામાં અનેક શહેરોમાં તબાહી મચાવી દીધી છે. ભારતીય વાયુદળે મિસાઈલ અને ડ્રોનથી કરેલા હુમલાઓ બાદ, અરબ સાગરમાં ભારતીય નૌકાદળ પણ સક્રીય થયું છે. અરબ સાગરમાં નૌકાદળના લડાકુ જહાજ આંતરરાષ્ટ્રીય મરિનલાઈન નજીક પહોચી રહ્યાં છે.
ભારતે અત્યાર સુધી સયંમ રાખ્યો, પાકિસ્તાને તોડી લક્ષ્મણરેખા, હવે કરીશુ ખેદાન મેદાન
વિદેશ મંત્રી એસ. જયશંકરે અમેરિકાના વિદેશ મંત્રી માર્કો રુબિયો સાથે ટેલિફોનીક વાત કરી છે. આ પછી, એસ. જયશંકરે સોશિયલ મીડિયા એક્સ પર કરેલ એક પોસ્ટમાં કહ્યું કે આતંકવાદ સામેની લડાઈમાં ભારત સાથે કામ કરવાની અમેરિકાની પ્રતિબદ્ધતાની હૃદયપૂર્વક પ્રશંસા કરું છું.
PM મોદી, NSA અજીત ડોવાલ વચ્ચે તાકીદ બેઠક
પાકિસ્તાને છેલ્લા 24 કલાકમાં બીજીવાર ડ્રોન અને મિસાઈલથી કરેલા હુમલાને લઈને, વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને એનએસએ અજીત ડોવાલ વચ્ચે તાકીદની બેઠક યોજાઈ હતી.
India Pakistan War News : ભારતના ઓપરેશન સિંદૂરથી પાકિસ્તાન ગભરાયેલું છે. પહેલગામ હુમલાનો બદલો લેવા માટે, પાકિસ્તાને ડ્રોનનો ઉપયોગ કરીને અસફળ હુમલા કરવાનો પ્રયાસ કર્યો, જેને ભારતની સંરક્ષણ પ્રણાલી દ્વારા હવામાં જ તોડી પાડવામાં આવ્યા. પાકિસ્તાન દ્વારા ઉશ્કેરણીજનક કાર્યવાહી બાદ, ભારતે વળતો જવાબ આપ્યો અને તેના ઘણા શહેરોને હચમચાવી નાખ્યા. પેજ રિફ્રેશ કરતા રહો…