હવે શુક્રની રાશિમાં બુધ પ્રવેશ કરશે, 5 રાશિઓના લોકો ભોગવશે જાહોજલાલી, 23 મે પછીના દિવસો આ લોકો માટે શાનદાર હશે

બુધ ગ્રહને બુદ્ધિ, સંવાદ અને વ્યાપારનો સ્વામી માનવામાં આવે છે. ગ્રહોમાં તેને રાજકુમારની ઉપાધિ આપવામાં આવી છે. બુધ ગ્રહ આ સપ્તાહમાં રાશિ અને નક્ષત્ર બંને પરિવર્તિત કરશે. એક જ અઠવાડિયામાં બુધ બે વાર પોતાની ચાલ બદલશે જેના કારણે મેષથી મીન સુધીની રાશિઓ પર આ ગોચરની અસર પડશે. બુધ ગ્રહ 21 મે 2025ના રોજ સૂર્યના નક્ષત્ર કૃતિકામાં પ્રવેશ કરશે. ત્યારબાદ 23 મે 2025ના રોજ સૂર્યગ્રહ વૃષભ રાશિમાં ગોચર કરશે. બુધ ગ્રહ પ્રથમ નક્ષત્ર બદલશે અને પછી રાશિ પરિવર્તન કરશે જેના પરિણામે બારેય રાશિઓ પર તેની અસર દેખાશે.

વૃષભ રાશિમાં બુધનો પ્રવેશ જીવનમાં શાંતિ અને સ્થિરતાનો નવો યુગ આરંભ કરશે. કેટલીક રાશિઓના જાતકો માટે દરેક કાર્ય સરળ બની જશે. જે વ્યક્તિઓ સર્જનાત્મક ક્ષેત્ર સાથે સંકળાયેલા છે તેમના માટે 23 મે પછીનો સમયગાળો ઉત્તમ રહેશે. આવો જાણીએ કઈ રાશિના જાતકો પર બુધની કૃપાદ્રષ્ટિ થવાની છે.

વૃષભ રાશિ

વૃષભ રાશિના જાતકો માટે બુધનું ગોચર શુભફળદાયી રહેશે. બુધ ગ્રહ આ રાશિમાં જ પ્રવેશ કરશે જેથી આત્મવિશ્વાસમાં વૃદ્ધિ થશે અને વ્યાવસાયિક જીવનમાં સ્થિરતા આવશે. મૂડીરોકાણ માટે આ સમય અનુકૂળ છે અને વેપારમાં પણ નફો થઈ શકે છે. સંબંધોમાં મધુરતા વધશે.

મિથુન રાશિ

મિથુન રાશિના જાતકો માટે પણ બુધનું ગોચર લાભદાયક રહેશે. બુધ ગ્રહ મિથુન રાશિનો અધિપતિ છે. તેથી આ સમયે વ્યાવસાયિક જીવનમાં નવા શિખરો સર આવશે. નોકરીમાં બઢતી કે વેતન વૃદ્ધિની સંભાવના છે. મહત્વપૂર્ણ પ્રોજેક્ટ્સ પ્રાપ્ત થઈ શકે છે. આ સમય વિદ્યાર્થીઓ માટે પણ ઉત્તમ રહેશે. અભ્યાસ પર ધ્યાન કેન્દ્રિત કરી શકશે. આ સમયે કરેલી મહેનતનું ફળ લાંબા સમય સુધી પ્રાપ્ત થતું રહેશે.

કન્યા રાશિ

કન્યા રાશિના જાતકો માટે પણ બુધનો ગોચર વિશેષ રહેશે. કન્યા રાશિના લોકોને વ્યાવસાયિક જીવનમાં નવી તકો પ્રાપ્ત થશે. નવા પ્રોજેક્ટની જવાબદારી સોંપાઈ શકે છે. નવો વ્યાપાર શરૂ કરવાનું આયોજન કરતા લોકો માટે યોગ્ય સમય છે. વિદ્યાર્થીઓ અભ્યાસમાં ધ્યાન વધારી શકશે.

તુલા રાશિ

તુલા રાશિના જાતકો માટે પણ બુધનું ગોચર શુભ છે. વ્યાવસાયિક જીવનમાં વિકાસ થશે. નવી જવાબદારીઓ મળી શકે છે. વ્યાપારમાં નવા કરાર અને રોકાણથી લાભ થશે. ધન સંબંધિત નિર્ણયો સફળ રહેશે. વિદ્યાર્થીઓને પરીક્ષામાં સફળતા મળી શકે છે. સંબંધોમાં આનંદ વધશે.

મકર રાશિ

મકર રાશિના જાતકો માટે બુધનું ગોચર અત્યંત શુભફળદાયી છે. વ્યાવસાયિક જીવનમાં સકારાત્મક પરિવર્તન દેખાશે. વ્યાપારમાં નવા કરાર અથવા મૂડીરોકાણથી લાભ થશે. વિદ્યાર્થીઓને અભ્યાસમાં રુચિ વધશે. સામાજિક જીવનમાં સંવાદ કૌશલ્ય લોકોને પ્રભાવિત કરશે. અવિવાહિત વ્યક્તિઓને લગ્નનો પ્રસ્તાવ મળી શકે છે. આ સમયગાળા દરમિયાન જેટલી મહેનત કરશો તેટલો જ લાભ પ્રાપ્ત થશે.

ઉપરોક્ત માહિતી માન્યતા અને જાણકારીઓ તેમજ જ્યોતિષીય પર આધારિત છે, ગુજ્જુરોકસ આની પુષ્ટિ કરતુ નથી.

hardikbhai vaghasiya

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *