Bharat-pakistan યુદ્ધ બાદ PM Modi હવે ગુજરાત આવશે તેવા સમાચાર સામે આવ્યા છે.

Bharat-pakistan : PM Modi ગુજરાત આવે તેવી શક્યતા, જાહેર સભા પણ યોજી શકે તેવા સમાચાર સામે આવ્યા છે.

PM Modi : વડાપ્રધાન નરેન્દ્ર મોદી વધુ એક વખત પોતાના વતન ગુજરાતની મુલાકાતે આવી શકે છે. મે મહિનાના અંતિમ સપ્તાહમાં વડાપ્રધાન ગુજરાતના પ્રવાસે આવે તેવી શક્યતા સેવાઈ રહી છે. 27 મેએ ભુજની મુલાકાતે વડાપ્રધાન મોદી આવે તેવી શક્યતા છે. વડાપ્રધાન મોદી તેમની આ મુલાકાત દરમિયાન ભુજમાં જાહેર સભા પણ કરે તેવી શક્યતા છે. ઉલ્લેખનીય છે કે ગઈકાલે જ વડાપ્રધાન મોદીએ આદમપુર એરબેઝની મુલાકાત લીધી હતી અને ભારતીય જવાનોની વીરતાને બિરદાવી હતી.

રક્ષામંત્રી રાજનાથસિંહ પણ ગુજરાત આવે તેવી શક્યતા

બીજી તરફ રક્ષામંત્રી રાજનાથસિંહ પણ ગુજરાત આવે તેવી શક્યતા છે. આગામી શુક્રવાર અને શનિવાર રાજનાથસિંહ ભુજ આવે તેવી સંભાવના છે. રક્ષામંત્રી તેમની મુલાકાત દરમિયાન ભુજ એરબેઝની પણ મુલાકાત લેશે. ભારતીય સેનાના ઓપરેશન સિંદૂર બાદ રક્ષામંત્રી રાજનાથસિંહ પ્રથમ વખત ગુજરાતની મુલાકાતે આવી શકે છે.

માર્ચ મહિનામાં ગુજરાતની મુલાકાતે આવ્યા હતા વડાપ્રધાન મોદી

તમને જણાવી દઈએ કે વડાપ્રધાન મોદી અગાઉ માર્ચ મહિનામાં ગુજરાતની મુલાકાતે આવ્યા હતા. આ દરમિયાન તેમને 1 માર્ચે જામનગરની મુલાકાત લીધી હતી અને PM Modi જામનગરમાં રાત્રિ રોકાણ કર્યુ હતું. ત્યારબાદ જામનગરમાં રિલાયન્સના વનતારાની મુલાકાત લીધી અને 2 માર્ચના રોજ સાસણગીરની મુલાકાત લીધી હતી. ત્યારબાદ વાઈલ્ડ લાઈફ ડેની ઉજવણીમાં ભાગ લીધો હતો અને સાસણ ગીરમાં નેશનલ કોન્ફરન્સમાં પણ હાજરી આપી હતી. ત્યારબાદ 3 માર્ચના રોજ વડાપ્રધાન મોદી સોમનાથ મંદિર પહોંચ્યા હતા અને ભગવાન શિવના આર્શીવાદ લીધા હતા અને મંદિરમાં પૂજા-અર્ચના કરી હતી.

આ સિવાય 7 માર્ચે સુરતના લીંબાયતના નીલગીરી ગ્રાઉન્ડ ખાતે યોજાયેલા કાર્યક્રમમાં પણ વડાપ્રધાન મોદીએ હાજરી આપી હતી અને વૃદ્ધ વ્યક્તિઓને કીટ વિતરણ પણ કર્યુ હતું. ત્યારે બીજા દિવસે એટલે કે 8 માર્ચે નવસારીમાં એક કાર્યક્રમમાં વડાપ્રધાને હાજરી આપી હતી. મહિલા દિવસના કાર્યક્રમમાં વડાપ્રધાન મોદીએ હાજર આપી હતી.

Surat: સી.આર.પાટીલે કહ્યં, પીએમ મોદી અને સેનાએ સંયમ સાથે ટાર્ગેટને પૂર્ણ કર્યો

PM Modi : પાકિસ્તાન સામેના ઓપરેશન સિંદૂર બાદ ભાજપ દ્વારા સમગ્ર દેશમાં તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે. જે અંતર્ગત ગુજરાતમાં પણ ઠેર ઠેર તિરંગા યાત્રા નીકળી હતી. સુરતમાં યોજાયેલી તિરંગા યાત્રામાં કેન્દ્રીય જળ શક્તિ મંત્રી સી.આર. પાટીલે નિવેદન આપ્યું હતું. તેમણે કહ્યું હતું કે, પીએમ મોદીએ આતંકીઓના આકાઓને ચેલેન્જ આપી હતી. પહેલગામના આતંકી હુમલાનો બદલો લીધો છે.

આપણા દ્વારા બનાવેલા હથિયારો દ્વારા ભવ્ય વિજય મળ્યો

કેન્દ્રીય મંત્રી સી.આર.પાટીલે કહ્યું હતું કે, પાકિસ્તાન આતંકવાદીઓને મદદ કરે છે. ભારતે ઓપરેશન સિંદૂર થકી પાકિસ્તાનને પાઠ ભણાવ્યો છે. પીએમ મોદી અને સેનાએ સંયમ સાથે ટાર્ગેટને પૂર્ણ કર્યો છે. આપણા દ્વારા બનાવેલા હથિયારો દ્વારા ભવ્ય વિજય મળ્યો છે. દુનિયાને ભારતે પોતાની તાકાત નો પરચો બતાવ્યો છે.પીએમ મોદીએ જે કહ્યું હતું તે પૂરું કર્યું છે.લોકોની આશા અને અપેક્ષા પીએમ મોદીએ પૂર્ણ કરી છે.

આવા અનેક હુમલાઓ અનેક વખત થયા છે

PM Modi : તેમણે વધુમાં કહ્યું હતું કે,આવા અનેક હુમલાઓ અનેક વખત થયા છે.દેશના તમામ લોકોમાં એક સંતોષની ભાવના છે.ભારત કોઈપણ મુશ્કેલી સામે એક થઈને અમે લડીશુ. આખી દુનિયાને આ સંદેશો પહોંચાડ્યો છે. સેનાને પણ ખૂબ અભિનંદન પાઠવું છું. તમામ સમાજના લોકોએ એકતા અને તાકાત બતાવી છે. અમદાવાદ, સુરત, ગાંધીનગર, રાજકોટ અને વડોદરા સહિત તિરંગા યાત્રામાં લોકો મોટી સંખ્યામાં જોડાયા હતાં.

આવા વધુ સમાચાર જોવા માટે જોડાયા રહો.

krushalhirapra12@gmail.com

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *